Wednesday 1 December 2010

ખરાબ ફિલ્મોનું મહેણું ભાંગશે "મોહનના મંકીઝ"

       

     ત્રીજી ડિસેમ્બરથી પરદા પર તોફાન મચાવવા આવી રહ્યા છે, "મોહનના મંકીઝ". ટાઈટલથી જ ડિફરન્ટ લાગતી આ ફિલ્મ ડિફરન્ટ હશે તેવું તેના પ્રોમોઝ જોતા લાગી રહ્યું છે. આ ફિલ્મમાં ગાંધીના વિચાર હશે, એ વિચાર રજૂ કરવા માટે મોહનના ત્રણ મંકીઝ હશે.. પણ એ વિચાર લોકો સુધી પહોંચાડવાનો અંદાઝ હશે અલગ.. ફિલ્મના ગીત અને સંગીત પણ પ્રોમોઝ દ્વારા લોકો સુધી સારી રીતે પહોંચી રહ્યા છે. યંગસ્ટર્સને પણ ગણગણવા તેવા આ ફિલ્મના ગીત છે અને સંગીત પણ યંગસ્ટર્સને ઘેલું લગાડે તેવું છે. બસ જોવાનું એ છે કે, અત્યારના લોકોને પચાવવા અઘરા લાગે તેવા ગાંઘી વિચારને આ ફિલ્મમાં કેટલી સરળ રીતે રજૂ કરાયા છે. આમ તો, આ પહેલા ગાંધીવિચાર સાથેની બોલિવૂડની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ' લોકો સુધી પહોંચી, વખણાઈ પણ ખરી. એ ફિલ્મ થિયેટરમાંથી ઉતર્યા બાદ લોકો વચ્ચે મુકતી ગઈ "ગાંધીગીરી". 
          "મોહનના મંકીઝ" ધમ્માલ અંદાઝમાં પોતાના વિચાર લોકમાનસ પર છોડી શકે છે કે કેમ એ વાતને બાજુ પર મુકીને એક વાત તો સ્વીકારવી જ રહી કે, હવે ગુજરાતી ફિલ્મ્સમાં કંઈક સારુ થવાની શરૂઆત તો ચોક્કસ થઈ છે. લોકો નહી જ સ્વીકારે એવું વિચારીને ઘણાં સારુ કે કંઈક અલગ કરવાનું માંડી વાળે. પણ અહીં તો એ અલગ નહી કરવાનો માંડી વળાયો છે અને અલગ કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ફિલ્મની સફળતા માત્ર ફિલ્મ બનાવનાર પુરતી જ સિમિત નહી રહે પણ, તેની સફળતા સાથે જોડાયેલ છે આવી જ સારી ફિલ્મ બનાવવાનું વિચારનારા પણ હિંમત નહી કરનારા કેટલાય નિર્માણકારોની હિંમત.
           આ ફિલ્મની બાબતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત છે આ ફિલ્મની પબ્લિસિટી. નવી તરાહની ફિલ્મ બની છે એ વાત લોકો ત્યારે જ જાણે.. જ્યારે ફિલ્મની પબ્લિસિટી યોગ્ય રીતે થાય. સતત એ ફિલ્મના પ્રચારનો મારો ચલાવાય ત્યારે જ લોકો તેના વિશે જાણી શકે, અને થિયેટર સુધી આવવાનો વિચાર કરે. 'દુષણો સામે લડશે બંદર' જેવી ટેગ લાઈનવાળી આ ફિલ્મની ટેગ લાઈનમાં જો થોડો  ફેરફાર કરીને કહીએ તો કહેવાય કે, 'સારી નહી બનતી ગુજરાતી ફિલ્મનું દુષણ દુર કરવા આવી ગયા બંદર'. વેલ, ફિલ્મના નિર્માતા દ્વારા અલગ વિષય પર અદ્યતન ટેકનોલોજી દ્વારા ફિલ્મ બનાવાઈ, લોકો સુધી ફિલ્મની વાત પહોંચે તે માટે તમામ રીતે પબ્લિસિટી પણ કરી....  હવે આપણો વારો કે નહી ?

4 comments:

  1. Jitendra bhai ana thi sara compliments bija su hoi sake!!!!!

    ReplyDelete
  2. Gujarati film directors needs to think beyond Gandhiji. Ej gandhi ji na vandra ane ej juni vato...concepts should new, fresh and original. its our bad luck that We have many great actors such as Paresh Raval, Kiran Kumar, Ashrani, Aruna Irani but sadly we dont have a single good film now days.

    ReplyDelete
  3. i agree with kunal sr.
    haju saru thai shake chhe. hu premi no.1 pan mane chhichhri lage chhe. majja ni story khuti nathi padi.

    savji chaudhari,
    facebook (")
    A-men media & creation,
    A,bad. 99980 43238.

    ReplyDelete
  4. બસ ગમે એમ કરી ને આ ફિલ્મ જોવી જ રહી હવે તો !

    ReplyDelete