Friday 8 February 2013

સપ્તપદી : ગાજ્યા મેહ વરસ્યા નહી

             એબીકોર્પ ગુજરાતી ફિલ્મ લઈને આવે છે એવી વાત વહેતી થઈ ત્યારે શરૂઆતમાં માનવામાં નહોતુ આવ્યુ.. એટલે ખરાઈ કરી. વાતમાં તથ્ય જણાયુ. એટલે એ વખતે મે સ્ટોરી કરી કે ગુજરાતી ફિલ્મમાં એબીકોર્પનું આગમન.. બદલશે ગુજરાતી ફિલ્મોનું ભાવી ? એ વખતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જે ગુજરાતી ફિલ્મ જગત સાથે ધરાતળથી જોડાયેલા છે તેઓએ કહ્યુ હતુ કે, એકાદ વખત ફિલ્મ આવશે, જો દર્શકો નહી મળે તો નુકસાની સ્વીકારી સાતત્ય નહી જાળવે અને ગુજરાતી ફિલ્મ જગત માટે એબીકોર્પે ફિલ્મ બનાવ્યાનો જશ જિંદગી આખી ખાતા રહેશે.. તો એક બહુ જ નાનો વર્ગ એવો પણ હતો કે, જેઓ એમ માનતા હતા કે, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મની તાસીર અને તસવીર બદલશે ? એ નાના વર્ગની આ મોટી માન્યતા ખોટી પડી. એકાદ ફિલ્મથી આખી ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવી શકતો નથી. એ લાંબાગાળાની પ્રક્રિયા છે અને પ્રયોગો કરનારાઓ થાકશે નહી તો ધીમે ધીમે બદલાવ આવશે એ નક્કી છે. 
            આ ફિલ્મને લઈને બે રિવ્યુ વાચ્યા.. શિશિર રામાવતે પોતાની કોલમ અને બ્લોગ પર જે લેખ લખ્યો તે તમને આ લીંક પર ક્લીક કરવાથી વાંચવા મળી શકશે. http://shishir-ramavat.blogspot.in/2013/02/blog-post_2.html એક નવા પ્રયત્નને વધાવતા લખ્યુ કે "‘સપ્તપદી’ ભલે પરફેક્ટ ફિલ્મ નથી, પણ એની ક્ષતિઓને અવગણીને તેને માણી શકાય છે. તમે એક સરસ ફિલ્મ જોઈ, અને એ પણ આપણી પોતાની ભાષામાં, તે વાતનો ભરપૂર સંતોષ ‘સપ્તપદી’ જન્માવે છે."
        તો આ જ ફિલ્મ.. કે જેના સંવાદ કાજલ ઓઝા વૈદ્યે લખ્યા છે તેમણે પણ ફિલ્મ વિશે લેખ લખ્યો. તેની લીંક આ રહી. http://epaper.divyabhaskar.co.in/magazine/madhurima/56/05022013/0/1/
તેની ઈમેજ પણ મે facebook પર મુકેલી છે http://www.facebook.com/photo.php?fbid=579964928700215&set=a.143477835682262.22516.100000601381247&type=1&theater
     એક બીજાને ગમતા રહીએ - કોલમમાં કાજલ ઓઝા વૈદ્યનો લેખ ભલે ફિલ્મ સાથે જોડાયેલાઓને 'એક બીજા સાથે ન ગમતા રહીએ' જેવા મતલબનો લાગે.. પણ સાચુ તો સ્વીકારવું જ રહ્યુ... 
આ બંને લેખ તો તમે વાચી ચુક્યા છો.. હવે.. સપ્તપદી - આઠમુ વચનની આઠ અમુક એવી વાત  કે જે જાણવામાં તમને વાચક તરીકે રસ પડશે.. તે તમે વાચી શકશો ટૂંક સમયમાં મારા બ્લોગ પર...  બસ થોડા જ સમયમાં... Coming Soon